સ્નેહબોધ
વ્યક્તિથી વિશ્વ સુધી
સંકુચિત આકર્ષણથી વ્યાપક પ્રેમની અનંત યાત્રા…
એક નવનિર્માણ અભિયાન - આનંદાલય પ્રસ્તુત
અભિયાનમાં જોડાઓ
આનંદાલય…
આનંદાલયનું ધ્યેય…
આનંદાલય શું છે ? આનંદાલય એક સ્વૈચ્છિક અને અનૌપચારિક સંસ્થાન છે, જ્યાં સમર્પિત આનંદાલયીઓ 'પ્રેરક' બનીને 'ચારિત્ર્યનિર્માણ' થકી 'वसुधैव कुटुम्बकम्' ભાવને ચરિતાર્થ કરવા કાર્યરત છે. વ્યક્તિત્વવિકાસમાં પાયાનું કામ કરતું સમર્પિત સાધનોનું અનુશાસિત એક આગવું વૃંદ એટલે આનંદાલય. ​ ધ્યેયમંત્ર આનંદાલય 'सर्वं शीलवता जितम्' ધ્યેયમંત્રને સમર્પિત છે, આનંદાલય એવું માને છે કે વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ અને વિશ્વની સઘળી સમસ્યાઓનો ઉકેલ ચારિત્ર્યનિર્માણ થકી જ સંભવ છે, અને એટલે જ પ્રત્યેક આનંદાલયીઓ 'ચારિત્ર્યનિર્માણ'ને જ સમર્પિત છે. 'सर्वं शीलवता जितम्' ધ્યેયમંત્ર જ ​આનંદાલયનો આધારસ્તંભ છે.
ધ્યેય અને દૃષ્ટિ : આનંદાલયનું ધ્યેય આનંદાલયનું ધ્યેય દરેક વ્યક્તિને પરિપક્વ જીવનની ભેટ આપવાનું છે. આનંદાલય દ્વારા ચલાવવામાં આવતી ગતિવિધિઓ, આયામો અને કાર્યપ્રકલ્પો થકી આનંદાલયીઓ સ્વવિકાસ અને સમાજવિકાસ માટે હંમેશાં કાર્યરત રહે, જેના કારણે ચારિત્ર્યનિર્માણની પ્રક્રિયા પરસ્પર અને સતત ચાલતી રહે, આમ ચારિત્ર્યથી ઓતપ્રોત આનંદાલયીઓ સમાજની સમસ્યાઓની પીડા લઈને પોતાના જીવનને કલ્યાણકારી કાર્યોમાં સમર્પિત કરે, પ્રત્યેક વ્યક્તિના ઘડતર તથા ઉઘડતર દ્વારા ઉન્નત સમાજનિર્માણ કરવાનો આનંદાલયનો હેતુ છે.
આનંદાલયની દૃષ્ટિ : આનંદાલય જીવનશિક્ષણ અને સેવાકીય વિવિધ આયામો ચલાવે છે, જેના થકી વ્યક્તિને અનુભવ, સમજણ અને જીવનદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. આવી પરિપક્વ વ્યક્તિ જીવનભર પોતાના અને અન્યોના વિકાસ માટે કાર્યરત બને છે. આનંદાલયના કાર્યસાધકો વ્યક્તિત્વની સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આખરે વ્યક્તિ - વ્યક્તિમાં ચારિત્ર્યનિર્માણ કરી સમાજને કર્તવ્યનિષ્ઠ સાધકો પ્રાપ્ત થાય જે વિશ્વનાં કલ્યાણકારી કાર્યોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરે તેવી ઉન્નત દૃષ્ટિ આનંદાલય ધરાવે છે.
સ્નેહબોધ : એક વૈચારિક આંદોલન...
"સ્નેહબોધ" એ માત્ર કોઈ અભ્યાસક્રમ નથી, પરંતુ યુવા હૃદયમાં રહેલી લાગણીઓને યોગ્ય દિશા આપતું એક વૈચારિક અભિયાન છે. 'આનંદાલય' દ્વારા પ્રેરિત આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોને પશ્ચિમી જગતના 'શારીરિક આકર્ષણ' અને ભારતીય સંસ્કૃતિના 'આત્મિક પ્રેમ' વચ્ચેનો ભેદ સમજાવવાનો છે. તે ઉત્તેજનાથી શરૂ કરીને સમજણ અને છેલ્લે 'આનંદ' સુધી લઈ જતી એક પ્રેમયાત્રા છે.
અભિયાનનો મૂળ હેતુ અને આવશ્યકતા...
આજના ડિજિટલ યુગમાં પ્રેમની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. પશ્ચિમી અસરો હેઠળ યુવાનો જેને 'પ્રેમ' માને છે, તે વાસ્તવમાં માત્ર હોર્મોન્સનો ખેલ કે શારીરિક વ્યવહાર બનીને રહી ગયો છે. આ અભિયાનનો હેતુ યુવાનોને એ સમજાવવાનો છે કે પ્રેમ એ 'કરાર' નથી, પણ 'સમર્પણ' છે. આપણે એક એવી પેઢી તૈયાર કરવી છે જે 'ઈન્સ્ટન્ટ રિલેશનશિપ'ના મોહમાંથી બહાર આવીને શાશ્વત સ્નેહને પામી શકે.
આપણો દૃષ્ટિકોણ : વ્યક્તિથી વિશ્વ સુધી…
આપણું લક્ષ્ય સ્પષ્ટ છે - 'પ્રગલ્ભ વ્યક્તિત્વનું નિર્માણ'. આપણે સ્પષ્ટ માનીએ છીએ કે જો વ્યક્તિના અંગત જીવનમાં સ્નેહ અને સમજણ હશે, તો જ તે એક સ્વસ્થ પરિવાર અને શાંત સમાજનું નિર્માણ કરી શકશે. 12 (બાર) સત્રોના આ વિશેષ કોર્સ દ્વારા આપણે યુવાનોને મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્દષ્ટિકોણથી સજ્જ કરીએ છીએ, જેથી તેઓ જીવનસાથીની પસંદગી અને દાંપત્ય જીવનમાં થતી ભૂલોથી બચી શકે.
ફલશ્રુતિ
અપેક્ષિત પરિણામો આ અભિયાનના અંતે આપણે એક એવા યુવાવર્ગની અપેક્ષા રાખીએ છીએ જે લાગણીઓના આવેગમાં તણાઈ જવાને બદલે વિવેકપૂર્ણ નિર્ણયો લઈ શકે. જેના પરિણામ સ્વરૂપે સમાજમાં છૂટાછેડાના કિસ્સાઓ ઘટશે, હતાશા ઓછી થશે અને ભારતીય કુટુંબ વ્યવસ્થા વધુ મજબૂત બનશે. અંતે, વ્યક્તિગત સુખ વિસ્તરીને 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવનામાં પરિવર્તિત થશે.
ડિજિટલ વ્યસન
સ્ક્રીનની ગુલામી અને આભાસી સંબંધો યુવાનોને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. સોશિયલ મીડિયા પર મેળવેલી માન્યતા વાસ્તવિક પ્રેમ અને સ્વીકૃતિનું સ્થાન લેતી જાય છે.
વિકૃત પ્રેમનો ભ્રમ
કામ (શારીરિક આકર્ષણ) અને પ્રેમ (શુદ્ध ભાવના) વચ્ચેનો ભેદ ભૂંસાઈ રહ્યો છે. યુવાનો ક્ષણિક આકર્ષણને સાચો પ્રેમ સમજી બેસે છે અને પછી નિરાશા અનુભવે છે.
માનસિક સ્વાસ્થ્ય સંકટ
ડિપ્રેશન, આત્મહત્યાના દર અને એકલતાની લાગણી સતત વધી રહી છે. યુવાનો પોતાને અસહાય અનુભવે છે અને યોગ્ય માર્ગદર્શનનો અભાવ અનુભવે છે.
કારકિર્દી પર અસર
ભાવનાત્મક અસ્થિરતા અને ફોકસનો અભાવ યુવાનોની કારકિર્દી અને ભવિષ્યને નુકસાન પહોંચાડે છે. તેઓ નિર્ણય લેવામાં અસમર્થ બને છે.

આ સ્થિતિમાંથી બહાર આવવા માટે 'સ્નેહબોધ' અનિવાર્ય છે. આપણે યુવાનોને સાચા પ્રેમ, મૂલ્યો અને આત્મજ્ઞાનનો માર્ગ બતાવવો જોઈએ.
સ્નેહબોધનું તત્ત્વજ્ઞાન
સ્નેહબોધ એ કામ (વાસના) થી સર્વાત્મા (દિવ્ય પ્રેમ) સુધીની આધ્યાત્મિક યાત્રા છે. આ યાત્રામાં આપણે શારીરિક આકર્ષણને ઉચ્ચ ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે રૂપાંતરિત કરીએ છીએ. આ પ્રક્રિયાને 'ઊર્જાનું ઉદાત્તીકરણ' કહેવામાં આવે છે.
મૂળ સિદ્ધાંત
વસુધૈવ કુટુંબકમ્ - સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આ પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાન આપણને શીખવે છે કે સાચો પ્રેમ સીમાઓથી પર છે.
રૂપાંતરણની પ્રક્રિયા
  • જૈવિક આકર્ષણને આધ્યાત્મિક સ્નેહમાં પરિવર્તન
  • વ્યક્તિગત સુખથી સામૂહિક કલ્યાણ તરફ
  • સંકુચિત 'મારું' થી વ્યાપક 'આપણું' તરફ
  • ક્ષણિક આનંદથી શાશ્વત આનંદ તરફ
01
​સમસ્યા : વિકૃત પ્રેમની ભ્રમણા
​આજનો યુવા વર્ગ જેને પ્રેમ માને છે, તે વાસ્તવમાં પ્રેમ નથી પણ 'બાયોલોજિકલ ઇમ્પલ્સ' (જૈવિક આવેગ) છે. ​
લક્ષણો : સતત અસલામતી, પઝેસિવનેસ (માલિકીભાવ), શારીરિક આકર્ષણને જ સર્વસ્વ માનવું, અને સંબંધોમાં અપેક્ષાઓનો બોજ. ​
વાસ્તવિકતા : પશ્ચિમી અસરો હેઠળ 'ઈન્સ્ટન્ટ ગ્રેટીફિકેશન' (તાત્કાલિક સુખ) ની ઘેલછામાં યુવાનો શાશ્વત આનંદ ગુમાવી બેઠા છે, જેના કારણે ડિપ્રેશન અને આત્મહત્યા જેવા ગંભીર પ્રશ્નો સર્જાયા છે.
02
નિદાન : વિવેકબુદ્ધિનો અભાવ
આ સમસ્યાનું મૂળ કારણ હૃદયમાં નથી, પણ મનમાં રહેલી ગેરસમજ છે. ​
રુટ કોઝ : આપણા શિક્ષણમાં 'બુદ્ધિ'નો વિકાસ થયો છે, પણ 'લાગણીઓના વ્યવસ્થાપન' (Emotional Management) નું કોઈ શિક્ષણ નથી. ​
વિશ્લેષણ : યુવાનો 'પ્રેય' (જે ગમે છે) અને 'શ્રેય' (જે હિતકારી છે) વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. હોર્મોન્સના પ્રભાવને તેઓ હૃદયનો અવાજ માની લે છે, જે વાસ્તવમાં એક 'કેમિકલ લોચો' માત્ર છે.
03
ઉપચાર : ૧૨ સત્રોની 'સ્નેહબોધ' પ્રક્રિયા
અમે કોઈ ઉપદેશ આપતા નથી, પણ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સાધનો દ્વારા વૈચારિક શુદ્ધિકરણ (Ideological Purification) કરીએ છીએ.
કાર્યપદ્ધતિ : ૧૨ સત્રોનો અમારો વિશેષ કોર્સ એ એક 'કાઉન્સેલિંગ પ્રોસેસ' છે. જેમાં તર્ક, વિજ્ઞાન અને ભારતીય દર્શનના સમન્વયથી યુવાનોને વાસ્તવિકતાનો અરીસો બતાવવામાં આવે છે.
પ્રક્રિયા (પ્રોસેસ) : અહીં આવેગ (Impulse) ને દબાવવામાં નથી આવતો, પણ તેનું ઉર્ધ્વીકરણ (Sublimation) કરીને તેને 'સ્નેહ' અને 'કરુણા' માં પરિવર્તિત કરવામાં આવે છે.
04
પરિણામ : પ્રગલ્ભ અને પરિપક્વ વ્યક્તિત્વ
આ પ્રક્રિયામાંથી પસાર થયેલો યુવાન માત્ર પ્રેમી જ નહીં, પણ એક જવાબદાર નાગરિક બને છે.
ફલશ્રુતિ : તે આવેશમાં આવીને નિર્ણય લેવાને બદલે 'સ્નેહ અને સમજણ' થી જીવનસાથીની પસંદગી કરે છે.
અંતિમ લક્ષ્ય : વ્યક્તિગત સુખથી આગળ વધીને 'વસુધૈવ કુટુંબકમ્' (વિશ્વ એક પરિવાર) ની ભાવના સાથે જીવતો એક સ્થિતપ્રજ્ઞ યુવાન તૈયાર થાય છે, જે તૂટતા પરિવારોને બચાવી શકે છે.
અભ્યાસક્રમ : ૧૨ સોપાન (૨૪ કલાક)
સ્નેહબોધ અભિયાન દ્વારા રજૂ કરાયેલ આ વ્યાપક અભ્યાસક્રમ યુવાનોને સાચા પ્રેમ, સંબંધો અને જીવનમૂલ્યોની ગહન સમજ આપે છે. દરેક સોપાન એક મહત્વપૂર્ણ પાસાને સ્પર્શે છે અને વ્યવહારિક માર્ગદર્શન પૂરું પાડે છે.
1
પ્રેમ-ભ્રમ vs સત્ય
વાસ્તવિક પ્રેમ અને ભ્રમણા વચ્ચેનો ભેદ
સ્નેહ-મોહ વિવેક (Concept of Love)
પ્રેમ શું છે ? - ભ્રમ અને સત્ય (What is Love? - Illusion vs Truth) યુવાવસ્થામાં થતા આકર્ષણને પ્રેમ માની લેવાની ભૂલ ઘણા કરે છે. આ સત્રમાં પ્રેમ અને 'ઇન્ફેચ્યુએશન' (Infatuation) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવામાં આવશે. શું પ્રેમ માત્ર લાગણી છે કે જવાબદારી? ફિલ્મી પ્રેમ અને વાસ્તવિક જીવનના પ્રેમ વચ્ચેનું અંતર અહીં સમજાવવામાં આવશે, જેથી યુવાનો ભ્રમણામાંથી બહાર આવી સત્યને પામી શકે.
2
આકર્ષણનું વિજ્ઞાન
શારીરિક અને ભાવનાત્મક આકર્ષણની સમજ
આકર્ષણનું વિજ્ઞાન (The Science of Attraction) વિજાતીય આકર્ષણ એ કુદરતી જૈવિક પ્રક્રિયા છે. આ સત્રમાં ડોપામાઈન અને ઓક્સિટોસિન જેવા હોર્મોન્સની રમત સમજાવવામાં આવશે. શા માટે કોઈ ચોક્કસ વ્યક્તિ ગમવા લાગે છે? આ માત્ર મગજનો કેમિકલ લોચો છે કે હૃદયનો અવાજ? આનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરીને યુવાનોને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવતા શીખવવામાં આવશે.
3
ડિજિટલ જાળ
સોશિયલ મીડિયા અને વર્ચ્યુઅલ સંબંધોની વાસ્તવિકતા
ડિજિટલ પ્રેમની માયાજાળ (The Trap of Digital Love) સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના જમાનામાં પ્રેમનું સ્વરૂપ બદલાઈ ગયું છે. વર્ચ્યુઅલ રિલેશનશિપ કેટલી સાચી? 'ઈન્સ્ટન્ટ રિપ્લાય' અને 'બ્લ્યુ ટીક'ની દુનિયામાં ધીરજ અને વિશ્વાસનું શું સ્થાન છે? ઓનલાઈન છેતરામણી અને સાયબર ક્રાઈમથી બચીને, ડિજિટલ જગતમાં પણ શાશ્વત સંબંધો કેવી રીતે શોધવા, તેની ચર્ચા થશે.
4
વાસના-પ્રેમ-સ્નેહ
ત્રણેય વચ્ચેનો મૂળભૂત તફાવત
કામ (Lust) શરીરની ભૂખ છે, પ્રેમ (Love) હૃદયની જરૂરિયાત છે, અને સ્નેહ (Affection) આત્માનો સ્વભાવ છે. આ ત્રણેય વચ્ચેની પાતળી ભેદરેખા સમજવી ખૂબ જરૂરી છે. વાસનાને પ્રેમ માનીને થતી ભૂલોથી કેવી રીતે બચવું અને સંબંધોમાં પવિત્રતા કેવી રીતે જાળવવી, તે આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
5
સ્પર્શની શક્તિ
શારીરિક સંપર્ક અને તેની સીમાઓ
વ્હાલ અને વાત્સલ્ય (Care and Parental Love) માતા-પિતાનો પ્રેમ (વાત્સલ્ય) અને જીવનસાથીનો પ્રેમ (વ્હાલ) - બંનેનું પોતપોતાનું મહત્વ છે. ઘણીવાર યુવાનો પ્રેમમાં પડીને પરિવારને ભૂલી જાય છે. આ સત્રમાં માતા-પિતાના નિઃસ્વાર્થ પ્રેમનું મૂલ્ય અને જીવનસાથી સાથેના સંબંધમાં આદરનું સ્થાન સમજાવવામાં આવશે. પરિવાર અને પ્રેમ વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું તે અહીં શીખવા મળશે.
6
બ્રહ્મચર્ય
ઊર્જા સંરક્ષણ અને આત્મનિયંત્રણ
બ્રહ્મચર્ય અને ઊર્જાનું રૂપાંતરણ (Celibacy and Transformation of Energy) બ્રહ્મચર્ય એટલે માત્ર સંયમ નહીં, પણ ઊર્જાનું ઉર્ધ્વીકરણ. યુવાવસ્થાની પ્રચંડ શક્તિને વેડફવાને બદલે તેને સર્જનાત્મક કાર્યોમાં કેવી રીતે વાળવી? જાતીય ઊર્જા (Sexual Energy) ને આત્મિક તેજ (Ojas) માં રૂપાંતરિત કરવાની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા અહીં સમજાવવામાં આવશે, જે વ્યક્તિત્વ વિકાસ માટે અનિવાર્ય છે.
7
મિત્રતાની સીમાઓ
સ્વસ્થ અને સંતુલિત સંબંધો
મૈત્રી અને મર્યાદા (Friendship and Boundaries) શું છોકરો અને છોકરી માત્ર 'મિત્રો' હોઈ શકે? મૈત્રી અને પ્રેમ વચ્ચેની સીમારેખા ક્યાં છે? આધુનિક સમયમાં 'ફ્રેન્ડઝોન' અને 'સીચ્યુએશનશિપ' જેવા શબ્દો વચ્ચે સાચી મિત્રતાનું ગૌરવ કેવી રીતે જાળવવું? સંબંધોમાં મર્યાદા (Boundaries) નું પાલન શા માટે સુરક્ષા અને સન્માન માટે જરૂરી છે, તેની નિખાલસ ચર્ચા થશે.
8
જીવનસાથીની પસંદગી
યોગ્ય નિર્ણય માટે માર્ગદર્શન
જીવનસાથીની પસંદગી - વિવેક દૃષ્ટિ (Choosing a Life Partner - Insightful Vision) જીવનસાથી પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી? માત્ર રૂપ કે પૈસો નહીં, પણ સંસ્કાર, કુળ અને સ્વભાવનું મહત્વ સમજવું જરૂરી છે. ઉતાવળે લીધેલા નિર્ણયો જીવનભરનું દુઃખ બની શકે છે. આ સત્રમાં યોગ્ય પાત્રની પસંદગી માટેના વ્યવહારિક માપદંડો અને કુંડળી કરતા ગુણમેળાપનું મહત્વ સમજાવવામાં આવશે.
9
બ્રેકઅપ હીલિંગ
વિખૂટા પડ્યા પછી સ્વસ્થ થવું
બ્રેકઅપ અને નવનિર્માણ (Breakup and Reconstruction) પ્રેમમાં નિષ્ફળતા એ જીવનનો અંત નથી. બ્રેકઅપ, રિજેક્શન કે દગો મળ્યા પછી હતાશા (Depression) માંથી બહાર કેવી રીતે આવવું? તૂટેલા હૃદયને ફરીથી જોડીને, નવેસરથી જીવનની શરૂઆત કેવી રીતે કરવી? આ સત્ર યુવાનોને માનસિક રીતે મજબૂત બનાવશે અને તેમને સમજાવશે કે પીડા એ પણ પ્રગતિનું એક પગથિયું છે.
10
કુટુંબ પ્રેમ
પરિવાર સાથેના સંબંધોનું મહત્વ
પરિવાર - પ્રેમની પાઠશાળા (Family - The School of Love) વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાનો પાયો પરિવાર છે. જે વ્યક્તિ પોતાના પરિવારને પ્રેમ નથી કરી શકતી, તે બીજાને શું પ્રેમ કરશે? સંયુક્ત કુટુંબના મૂલ્યો, વડીલોનું સન્માન અને પરસ્પર સહકારની ભાવના કેવી રીતે કેળવવી? આ સત્રમાં પરિવારને એક 'સપોર્ટ સિસ્ટમ' તરીકે જોવાની દ્રષ્ટિ આપવામાં આવશે.
11
વિશ્વ પ્રેમ
વસુધૈવ કુટુંબકમનો વ્યવહારિક અમલ
વ્યક્તિથી વિશ્વ સુધી (From Individual to Universe) પ્રેમનો વિસ્તાર એટલે જ સાધના. વ્યક્તિગત પ્રેમ (સ્વાર્થ) માંથી બહાર આવીને સમષ્ટિ (પરમાર્થ) તરફ ગતિ કરવી. જ્યારે તમારો પ્રેમ માત્ર એક વ્યક્તિ પૂરતો સીમિત ન રહેતા, સમાજ, રાષ્ટ્ર અને પ્રકૃતિ સુધી વિસ્તરે છે, ત્યારે તે સાચો 'સ્નેહબોધ' બને છે. અહીં સંકુચિતતાના કોશેટામાંથી બહાર આવીને વિરાટ અસ્તિત્વ સાથે જોડાવાની વાત છે.
12
જીવનોત્સવ
આનંદપૂર્વક જીવવાની કળા
જીવન ઉત્સવ - સ્નેહબોધનું સમાપન (Celebration of Life - Conclusion of Snehbodh) અંતે, પ્રેમ એટલે દુઃખ નહીં પણ ઉત્સવ! આ છેલ્લા સત્રમાં આપણે શીખીશું કે જીવનને એક ઉત્સવની જેમ કેવી રીતે જીવવું. પ્રેમ, આનંદ અને શાંતિ એ બહાર શોધવાની વસ્તુ નથી, પણ આપણી ભીતર રહેલો ખજાનો છે. જીવનના દરેક સંબંધને, દરેક ક્ષણને સ્નેહથી ભરી દેવી, એ જ આ શિબિરનો સાર છે.
કાર્યક્રમની રૂપરેખા
સ્નેહબોધ અભિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા તમામ વર્ગ અને સમયના લોકો સુધી પહોંચે છે. તમે તમારી સુવિધા અનુસાર કોઈ પણ સ્વરૂપમાં આ જ્ઞાનયજ્ઞનો ભાગ બની શકો છો. દરેક કાર્યક્રમ સ્વતંત્ર અને સંપૂર્ણ છે.
પ્રેરણાસભા (આચમન)
અવધિ: ૨ કલાક
સ્નેહબોધના મૂળભૂત વિચારોનો પરિચય. તમે કોઈ પણ સમયે આ પ્રેરક સભામાં ભાગ લઈ શકો છો અને અભિયાનની દિશા સમજી શકો છો.
સઘન કોર્સ (ઓફલાઇન/ઓનલાઇન)
વિકલ્પ ૧: ૧૨ દિવસ (દરરોજ ૨ કલાક)
વિકલ્પ ૨: ૨૪ દિવસ (દરરોજ ૧ કલાક)
સંપૂર્ણ અભ્યાસક્રમ જે તમને ગહન સમજ અને વ્યવહારિક કુશળતા પ્રદાન કરે છે.
ત્રિ-દિવસીય શિબિર (Non-Residential)
સમય: સવારે ૦૮:૦૦ થી સાંજે ૦૬:૦૦
ત્રણ દિવસનું સઘન શિબિર જ્યાં તમે દિવસભર ઊંડાણપૂર્વક શીખો અને સાંજે ઘરે પરત જાઓ. આદર્શ જેઓ નોકરી અથવા અભ્યાસની સાથે સાથે શીખવા માંગે છે.
ત્રિ-દિવસીય નિવાસી શિબિર (Residential)
અવધિ: ૩ દિવસ અને ૩ રાત્રી
આગમન: દિવસ ૦ - સાંજે ૫:૦૦ થી ૭:૦૦
પ્રસ્થાન: દિવસ ૩ - બપોરે ૨:૦૦ થી ૪:૦૦
સંપૂર્ણ નિમજ્જન અનુભવ જ્યાં તમે શાંત વાતાવરણમાં આત્મપરિવર્તન અનુભવો છો.
વિશેષ તક
ઓનલાઇન પ્રશિક્ષણ (ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬)
આ એક અનન્ય તક છે જ્યાં તમે તમારા ઘરની આરામથી સ્નેહબોધનું સંપૂર્ણ જ્ઞાન મેળવી શકો છો. આ ઓનલાઇન કોર્સ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જેથી દરેક વ્યક્તિ સમય અને સ્થળની મર્યાદા વિના આ પરિવર્તનકારી જ્ઞાનનો લાભ લઈ શકે.
બેચ ૧
તારીખ
૧૯ ફેબ્રુઆરી થી ૦૨ માર્ચ ૨૦૨૬
સમય
રાત્રે ૦૮:૩૦ થી ૧૦:૩૦
બેચ ૨
તારીખ
૦૫ માર્ચ થી ૧૬ માર્ચ ૨૦૨૬
સમય
રાત્રે ૦૮:૩૦ થી ૧૦:૩૦
પ્રબોધક પ્રશિક્ષણ શિબિર (Residential)
સ્નેહબોધના સંદેશને સમાજના દરેક ખૂણે સુધી પહોંચાડવા માટે અમને સમર્પિત અને પ્રશિક્ષિત પ્રબોધકોની જરૂર છે. આ વિશેષ નિવાસી શિબિરમાં તમે માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ તેને અસરકારક રીતે અન્યોને શીખવવાની કળા પણ શીખશો.
પ્રશિક્ષણ વિગતો
તારીખ: ૧૯ થી ૨૧ માર્ચ ૨૦૨૬
પ્રકાર: સંપૂર્ણ નિવાસી શિબિર
અવધિ: ૩ દિવસ અને ૨ રાત્રી
પાત્રતા
  • ઉંમર: ૧૪ વર્ષથી ઉપર
  • પૂર્વશરત: ઓનલાઇન સ્નેહબોધ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોવો જરૂરી
  • પ્રતિબદ્ધતા: સમાજમાં સ્નેહબોધનો સંદેશ ફેલાવવાની તૈયારી
  • ગુણધર્મો: સકારાત્મક વલણ, સંવાદ કુશળતા, નેતૃત્વ ક્ષમતા
01
ઓનલાઇન કોર્સ પૂર્ણ કરો
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ના કોઈ પણ બેચમાં
02
પ્રબોધક શિબિર માટે નોંધણી કરો
માર્ચ ૧૯-૨૧, ૨૦૨૬
03
પ્રમાણિત પ્રબોધક બનો
સમાજમાં સ્નેહબોધ ફેલાવો
અપેક્ષિત પરિણામો અને પ્રભાવ
સ્નેહબોધ અભિયાનમાં ભાગ લેનારાઓ તેમના જીવનમાં મૂળભૂત અને સકારાત્મક પરિવર્તનો અનુભવે છે. આ માત્ર એક કોર્સ નથી, પરંતુ જીવનપરિવર્તનની યાત્રા છે. જે તમને સાચા આનંદ અને શાંતિ તરફ દોરી જાય છે.
માનસિક સ્પષ્ટતા
મન શાંત અને સ્થિર બને છે. નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે.
સ્વસ્થ સંબંધો
પરિવાર, મિત્રો અને સમાજ સાથેના સંબંધોમાં ગુણાત્મક સુધારો થાય છે.
કારકિર્દી સફળતા
ધ્યાન કેન્દ્રિત થવાથી અભ્યાસ અને કારકિર્દીમાં ઉત્તમ પ્રદર્શન થાય છે.
આંતરિક શાંતિ
ડિપ્રેશન અને ચિંતામાંથી મુક્તિ મળે છે. જીવનમાં સાચો આનંદ અનુભવાય છે.
આ પરિણામો હજારો યુવાનોએ તેમના જીવનમાં અનુભવ્યા છે. સ્નેહબોધ એ માત્ર સિદ્ધાંત નથી, પરંતુ વ્યવહારિક અને પ્રમાણિત માર્ગ છે જે તમને વાસ્તવિક પરિવર્તન તરફ દોરી જાય છે.
આનંદાલય સંપર્ક
સ્નેહબોધ અભિયાન આનંદાલય દ્વારા પ્રસ્તુત એક સામાજિક નવનિર્માણ પ્રયાસ છે. અમે તમને આ જીવનપરિવર્તક યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ. તમારા કોઈપણ પ્રશ્નો, શંકાઓ અથવા સૂચનો માટે અમારી સાથે નિઃસંકોચ સંપર્ક કરો.
સંસ્થા વિગતો
સંસ્થા
આનંદાલય
સંપર્ક
Dr. Atul Unagar
89054 79781
અમારી દ્દષ્ટિ
"વ્યક્તિગત આનંદથી વૈશ્વિક કલ્યાણ તરફ - આ અમારી યાત્રા છે. સ્નેહબોધ દ્વારા અમે એક એવા સમાજનું નિર્માણ કરવા માંગીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ સાચા પ્રેમ, મૂલ્યો અને આધ્યાત્મિકતાને સમજે અને તેનો અનુભવ કરે."

સમુદાય
હજારો યુવાનો અને પરિવારો સાથે જોડાઓ
જ્ઞાન
પ્રાચીન શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાનનો સંગમ
પ્રેમ
નિઃસ્વાર્થ સેવા અને સામૂહિક કલ્યાણ
પરિવર્તન
વ્યક્તિગત અને સામાજિક ઉત્થાન
સ્નેહબોધ - વ્યક્તિથી વિશ્વ સુધી. વસુધૈવ કુટુંબકમ્